મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 કરિંથીઓને ૨:૭આશરે ઈ.સ. ૬૦

    માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.

  2. 2 કરિંથીઓને ૨:૮આશરે ઈ.સ. ૬૦

    ¶ એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો;

  3. 2 કરિંથીઓને ૨:૯આશરે ઈ.સ. ૬૦

    કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.

  4. 2 કરિંથીઓને ૨:૧૦આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે,

  5. 2 કરિંથીઓને ૨:૧૧આશરે ઈ.સ. ૬૦

    કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.

  6. 2 કરિંથીઓને ૨:૧૨આશરે ઈ.સ. ૬૦

    ¶ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં

  7. 2 કરિંથીઓને ૨:૧૩આશરે ઈ.સ. ૬૦

    પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો.

  8. 2 કરિંથીઓને ૨:૧૪આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ.

  9. 2 કરિંથીઓને ૨:૧૫આશરે ઈ.સ. ૬૦

    કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.

  10. 2 કરિંથીઓને ૨:૧૬આશરે ઈ.સ. ૬૦

    ¶ મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે?

  11. 2 કરિંથીઓને ૨:૧૭આશરે ઈ.સ. ૬૦

    કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.

  12. 2 કરિંથીઓને ૩:૧આશરે ઈ.સ. ૬૦

    ¶ શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે?

  13. 2 કરિંથીઓને ૩:૨આશરે ઈ.સ. ૬૦

    અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો.

  14. 2 કરિંથીઓને ૩:૩આશરે ઈ.સ. ૬૦

    તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.

  15. 2 કરિંથીઓને ૩:૪આશરે ઈ.સ. ૬૦

    ¶ એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.

  16. 2 કરિંથીઓને ૩:૫આશરે ઈ.સ. ૬૦

    અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;

  17. 2 કરિંથીઓને ૩:૬આશરે ઈ.સ. ૬૦

    તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.

  18. 2 કરિંથીઓને ૩:૭આશરે ઈ.સ. ૬૦

    ¶ અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.

  19. 2 કરિંથીઓને ૩:૮આશરે ઈ.સ. ૬૦

    તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?

  20. 2 કરિંથીઓને ૩:૯આશરે ઈ.સ. ૬૦

    ¶ કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!

  21. 2 કરિંથીઓને ૩:૧૦આશરે ઈ.સ. ૬૦

    અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.

  22. 2 કરિંથીઓને ૩:૧૧આશરે ઈ.સ. ૬૦

    કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!

  23. 2 કરિંથીઓને ૩:૧૨આશરે ઈ.સ. ૬૦

    ¶ એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ;

  24. 2 કરિંથીઓને ૩:૧૩આશરે ઈ.સ. ૬૦

    અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં મહિમાનો અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.

  25. 2 કરિંથીઓને ૩:૧૪આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ તેઓના મન કઠણ થયાં; કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે; પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.