મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૪:૧૧આશરે ઈ.સ. ૨૬

    ¶ ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.

  2. માથ્થી ૪:૧૨આશરે ઈ.સ. ૨૬

    ¶ યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.

  3. માથ્થી ૪:૧૩આશરે ઈ.સ. ૨૬

    પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.

  4. માથ્થી ૪:૧૪આશરે ઈ.સ. ૨૬

    ¶ એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,

  5. માથ્થી ૪:૧૫આશરે ઈ.સ. ૨૬

    “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ!

  6. માથ્થી ૪:૧૬આશરે ઈ.સ. ૨૬

    જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”

  7. માથ્થી ૪:૧૭આશરે ઈ.સ. ૨૬

    ¶ ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”

  8. માથ્થી ૪:૧૮આશરે ઈ.સ. ૨૬

    ¶ ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.

  9. માથ્થી ૪:૧૯આશરે ઈ.સ. ૨૬

    ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’

  10. માથ્થી ૪:૨૦આશરે ઈ.સ. ૨૬

    તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.

  11. માથ્થી ૪:૨૧આશરે ઈ.સ. ૨૬

    ¶ ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તેમણે તેઓને બોલાવ્યા,

  12. માથ્થી ૪:૨૨આશરે ઈ.સ. ૨૬

    અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.

  13. માથ્થી ૪:૨૩આશરે ઈ.સ. ૨૬

    ¶ ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.

  14. માથ્થી ૪:૨૪આશરે ઈ.સ. ૨૬

    ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.

  15. માથ્થી ૪:૨૫આશરે ઈ.સ. ૨૬

    ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.

  16. માથ્થી ૫:૧આશરે ઈ.સ. ૩૧

    ¶ ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.

  17. માથ્થી ૫:૨આશરે ઈ.સ. ૩૧

    તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.

  18. માથ્થી ૫:૩આશરે ઈ.સ. ૩૧

    “આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

  19. માથ્થી ૫:૪આશરે ઈ.સ. ૩૧

    જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.

  20. માથ્થી ૫:૫આશરે ઈ.સ. ૩૧

    જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.

  21. માથ્થી ૫:૬આશરે ઈ.સ. ૩૧

    જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.

  22. માથ્થી ૫:૭આશરે ઈ.સ. ૩૧

    દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે.

  23. માથ્થી ૫:૮આશરે ઈ.સ. ૩૧

    મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.

  24. માથ્થી ૫:૯આશરે ઈ.સ. ૩૧

    સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.

  25. માથ્થી ૫:૧૦આશરે ઈ.સ. ૩૧

    ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.