મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૨૫:૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    જેઓ મરકીથી મરણ પામ્યા હતો તેઓ સંખ્યામાં ચોવીસ હજાર હતા.

  2. ગણના ૨૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,

  3. ગણના ૨૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    “હારુન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનહાસે ઇઝરાયલ લોકો પરથી મારા રોષને શાંત કર્યો છે કેમ કે તે મારી પ્રત્યે ઝનૂની હતો. તેથી મારા ગુસ્સામાં મેં ઇઝરાયલી લોકોનો નાશ ન કર્યો.

  4. ગણના ૨૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ તેથી કહે કે, ‘યહોવાહ કહે છે કે, જુઓ, હું ફીનહાસને મારો શાંતિનો કરાર આપું છું.

  5. ગણના ૨૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેના માટે તથા તેના પછી તેના વંશજોને માટે તે સદાના યાજકપદનો કરાર થશે, કેમ કે મારા માટે, એટલે પોતાના ઈશ્વર માટે આવેશી થયો છે. તેણે ઇઝરાયલના લોકો માટે પ્રાયશ્ચિત કર્યું હતું.”

  6. ગણના ૨૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ જે ઇઝરાયલી માણસને મિદ્યાની સ્ત્રીની સાથે મારી નાખવામાં આવ્યો હતો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતૃઓના કુટુંબનો આગેવાન સાલૂનો દીકરો હતો.

  7. ગણના ૨૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી, જે મિદ્યાનમાં કુટુંબનો અને કુળનો આગેવાન હતો.

  8. ગણના ૨૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ પછી યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું,

  9. ગણના ૨૫:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    “મિદ્યાનીઓ સાથે દુશ્મનો જેવો વર્તાવ કર અને તેઓ પર હુમલો કર,

  10. ગણના ૨૫:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા.”

  11. ગણના ૨૬:૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ મરકી બંધ થયા પછી યહોવાહે મૂસાને તથા હારુન યાજકના પુત્ર એલાઝારને કહ્યું,

  12. ગણના ૨૬:૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    “ઇઝરાયલી લોકોની આખી જમાતમાં જેઓ વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના હોય, એટલે કે જેઓ ઇઝરાયલ માટે યુદ્ધમાં જવાને સમર્થ હોય તેઓની તથા તેઓના પિતૃઓના કુટુંબોની ગણતરી કર.”

  13. ગણના ૨૬:૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ યર્દન નદીને કિનારે યરીખોના, મોઆબના મેદાનમાં મૂસા તથા એલાઝાર યાજકે તેઓની સાથે વાત કરી કે,

  14. ગણના ૨૬:૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    વીસ વર્ષ તથા તેથી વધારે ઉંમરના લોકોની ગણતરી કરો, જેમ યહોવાહે મૂસાને તથા ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેઓને આજ્ઞા આપી હતી તેમ.”

  15. ગણના ૨૬:૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો રુબેન હતો. તેના દીકરા હનોખથી હનોખીઓનું કુટુંબ. પાલ્લૂથી પાલ્લૂનું કુટુંબ.

  16. ગણના ૨૬:૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. કાર્મીથી કાર્મીઓનું કુટુંબ.

  17. ગણના ૨૬:૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    રુબેનના વંશજોનાં આટલાં કુળો હતાં, તેઓની સંખ્યા તેંતાલીસહજાર સાતસોત્રીસની હતી.

  18. ગણના ૨૬:૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ પાલ્લૂનો દીકરો અલિયાબ હતો.

  19. ગણના ૨૬:૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    અલિયાબના દીકરા: નમુએલ, દાથાન તથા અબિરામ હતા. દાથાન તથા અબિરામ જેઓ કોરાહને અનુસરતા હતા જ્યારે તેઓએ મૂસા તથા હારુનની સામે બંડ પોકારીને યહોવાહ સામે બળવો કર્યો તે એ જ હતા.

  20. ગણના ૨૬:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પૃથ્વી પોતાનું મુખ ખોલીને તેઓને કોરાહ સહિત ગળી ગઈ. તે જ સમયે અગ્નિએ બસો પચાસ માણસોનો નાશ કરી નાખ્યો જેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.

  21. ગણના ૨૬:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહિ.

  22. ગણના ૨૬:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ શિમયોનના વંશજોનાં કુટુંબો નીચે પ્રમાણે છે: નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ,

  23. ગણના ૨૬:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. શાઉલથી શાઉલીઓનું કુટુંબ.

  24. ગણના ૨૬:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ શિમયોનના વંશજોનાં કુટુંબો હતાં, જેઓ સંખ્યામાં બાવીસહજાર બસો માણસો હતા.

  25. ગણના ૨૬:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ ગાદના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે. સફોનથી સફોનીઓનું કુટુંબ. હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ.