મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૨૪:૧૩આશરે ઈ.સ. ૩૩

    પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.

  2. માથ્થી ૨૪:૧૪આશરે ઈ.સ. ૩૩

    સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.

  3. માથ્થી ૨૪:૧૫આશરે ઈ.સ. ૩૩

    માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),

  4. માથ્થી ૨૪:૧૬આશરે ઈ.સ. ૩૩

    ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય,

  5. માથ્થી ૨૪:૧૭આશરે ઈ.સ. ૩૩

    અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે,

  6. માથ્થી ૨૪:૧૮આશરે ઈ.સ. ૩૩

    અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.

  7. માથ્થી ૨૪:૧૯આશરે ઈ.સ. ૩૩

    તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે!

  8. માથ્થી ૨૪:૨૦આશરે ઈ.સ. ૩૩

    પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.

  9. માથ્થી ૨૪:૨૧આશરે ઈ.સ. ૩૩

    કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.

  10. માથ્થી ૨૪:૨૨આશરે ઈ.સ. ૩૩

    જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.

  11. માથ્થી ૨૪:૨૩આશરે ઈ.સ. ૩૩

    ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ.

  12. માથ્થી ૨૪:૨૪આશરે ઈ.સ. ૩૩

    કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.

  13. માથ્થી ૨૪:૨૫આશરે ઈ.સ. ૩૩

    જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.

  14. માથ્થી ૨૪:૨૬આશરે ઈ.સ. ૩૩

    એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ.

  15. માથ્થી ૨૪:૨૭આશરે ઈ.સ. ૩૩

    કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.

  16. માથ્થી ૨૪:૨૮આશરે ઈ.સ. ૩૩

    જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.

  17. માથ્થી ૨૪:૨૯આશરે ઈ.સ. ૩૩

    તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.

  18. માથ્થી ૨૪:૩૦આશરે ઈ.સ. ૩૩

    પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે.

  19. માથ્થી ૨૪:૩૧આશરે ઈ.સ. ૩૩

    રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.

  20. માથ્થી ૨૪:૩૨આશરે ઈ.સ. ૩૩

    હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.

  21. માથ્થી ૨૪:૩૩આશરે ઈ.સ. ૩૩

    એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.

  22. માથ્થી ૨૪:૩૪આશરે ઈ.સ. ૩૩

    હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.

  23. માથ્થી ૨૪:૩૫આશરે ઈ.સ. ૩૩

    આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

  24. માથ્થી ૨૪:૩૬આશરે ઈ.સ. ૩૩

    પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.

  25. માથ્થી ૨૪:૩૭આશરે ઈ.સ. ૩૩

    જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.