મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૨૪:૩૮આશરે ઈ.સ. ૩૩

    કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;

  2. માથ્થી ૨૪:૩૯આશરે ઈ.સ. ૩૩

    અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.

  3. માથ્થી ૨૪:૪૦આશરે ઈ.સ. ૩૩

    તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.

  4. માથ્થી ૨૪:૪૧આશરે ઈ.સ. ૩૩

    બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.

  5. માથ્થી ૨૪:૪૨આશરે ઈ.સ. ૩૩

    માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.

  6. માથ્થી ૨૪:૪૩આશરે ઈ.સ. ૩૩

    પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.

  7. માથ્થી ૨૪:૪૪આશરે ઈ.સ. ૩૩

    એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.

  8. માથ્થી ૨૪:૪૫આશરે ઈ.સ. ૩૩

    તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?

  9. માથ્થી ૨૪:૪૬આશરે ઈ.સ. ૩૩

    જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.

  10. માથ્થી ૨૪:૪૭આશરે ઈ.સ. ૩૩

    હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.

  11. માથ્થી ૨૪:૪૮આશરે ઈ.સ. ૩૩

    પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’

  12. માથ્થી ૨૪:૪૯આશરે ઈ.સ. ૩૩

    અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;

  13. માથ્થી ૨૪:૫૦આશરે ઈ.સ. ૩૩

    તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.

  14. માથ્થી ૨૪:૫૧આશરે ઈ.સ. ૩૩

    તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.

  15. માથ્થી ૨૫:૧આશરે ઈ.સ. ૩૩

    તો સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ.

  16. માથ્થી ૨૫:૨આશરે ઈ.સ. ૩૩

    તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી.

  17. માથ્થી ૨૫:૩આશરે ઈ.સ. ૩૩

    મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ;

  18. માથ્થી ૨૫:૪આશરે ઈ.સ. ૩૩

    પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.

  19. માથ્થી ૨૫:૫આશરે ઈ.સ. ૩૩

    વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ.

  20. માથ્થી ૨૫:૬આશરે ઈ.સ. ૩૩

    મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’”

  21. માથ્થી ૨૫:૭આશરે ઈ.સ. ૩૩

    ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી.

  22. માથ્થી ૨૫:૮આશરે ઈ.સ. ૩૩

    મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’

  23. માથ્થી ૨૫:૯આશરે ઈ.સ. ૩૩

    પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’”

  24. માથ્થી ૨૫:૧૦આશરે ઈ.સ. ૩૩

    તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું.

  25. માથ્થી ૨૫:૧૧આશરે ઈ.સ. ૩૩

    પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’