- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- નિર્ગમન ૨૮:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
એ વસ્ત્રો સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊનનાં અને ઝીણા કાંતેલા શણના કાપડમાંથી જ બનાવવાં.
- નિર્ગમન ૨૮:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તેઓ સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનાં ઝીણાં કાંતેલા શણનાં કાપડનો એફોદ બનાવે; આ એફોદ સૌથી વધુ નિષ્ણાત કલાકારો જ તૈયાર કરે.
- નિર્ગમન ૨૮:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
એના બે છેડા જોડવા માટે એને ખભા પાસે બે સ્કંધપટી હોય.
- નિર્ગમન ૨૮:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
કમરબંધ પણ એવી જ બનાવટનો હોય; સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.
- નિર્ગમન ૨૮:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.
- નિર્ગમન ૨૮:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છ નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.
- નિર્ગમન ૨૮:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.
- નિર્ગમન ૨૮:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.
- નિર્ગમન ૨૮:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ એફોદ પર પાષાણને બેસાડવા માટે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં.
- નિર્ગમન ૨૮:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.
- નિર્ગમન ૨૮:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કલાકૃતિવાળું ન્યાયકરણનું ઉરપત્રક બનાવવું, એ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને લાલ રંગના ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.
- નિર્ગમન ૨૮:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.
- નિર્ગમન ૨૮:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,
- નિર્ગમન ૨૮:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,
- નિર્ગમન ૨૮:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,
- નિર્ગમન ૨૮:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.
- નિર્ગમન ૨૮:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.
- નિર્ગમન ૨૮:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
ઉરપત્રક માટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રકનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે.
- નિર્ગમન ૨૮:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
વળી સોનાની બે કડીઓ બનાવવી અને તે ઉરપત્રકને ઉપરને છેડે જોડી દેવી.
- નિર્ગમન ૨૮:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી.
- નિર્ગમન ૨૮:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવાં અને એ રીતે એફોદની સ્કંધપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.
- નિર્ગમન ૨૮:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રકમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.
- નિર્ગમન ૨૮:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.
- નિર્ગમન ૨૮:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
ઉરપત્રકનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવો. આમ કરવાથી ઉરપત્રક એફોદથી છૂટું પડી જશે નહિ.
- નિર્ગમન ૨૮:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ. હંમેશા તેઓ યહોવાહના સ્મરણ અર્થે રહેશે.