circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- ગલાતીઓને પત્ર ૫:૧૯આશરે ઈ.સ. ૫૮
¶ દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું,
- ગલાતીઓને પત્ર ૫:૨૦આશરે ઈ.સ. ૫૮
મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,
- ગલાતીઓને પત્ર ૫:૨૧આશરે ઈ.સ. ૫૮
અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
- ગલાતીઓને પત્ર ૫:૨૨આશરે ઈ.સ. ૫૮
¶ પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
- ગલાતીઓને પત્ર ૫:૨૩આશરે ઈ.સ. ૫૮
નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
- ગલાતીઓને પત્ર ૫:૨૪આશરે ઈ.સ. ૫૮
અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
- ગલાતીઓને પત્ર ૫:૨૫આશરે ઈ.સ. ૫૮
¶ જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ.
- ગલાતીઓને પત્ર ૫:૨૬આશરે ઈ.સ. ૫૮
આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ.
- ગલાતીઓને પત્ર ૬:૧આશરે ઈ.સ. ૫૮
¶ ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.
- ગલાતીઓને પત્ર ૬:૨આશરે ઈ.સ. ૫૮
તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.
- ગલાતીઓને પત્ર ૬:૩આશરે ઈ.સ. ૫૮
¶ કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
- ગલાતીઓને પત્ર ૬:૪આશરે ઈ.સ. ૫૮
દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
- ગલાતીઓને પત્ર ૬:૫આશરે ઈ.સ. ૫૮
કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
- ગલાતીઓને પત્ર ૬:૬આશરે ઈ.સ. ૫૮
¶ સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
- ગલાતીઓને પત્ર ૬:૭આશરે ઈ.સ. ૫૮
યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
- ગલાતીઓને પત્ર ૬:૮આશરે ઈ.સ. ૫૮
કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.
- ગલાતીઓને પત્ર ૬:૯આશરે ઈ.સ. ૫૮
¶ તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
- ગલાતીઓને પત્ર ૬:૧૦આશરે ઈ.સ. ૫૮
એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.
- ગલાતીઓને પત્ર ૬:૧૧આશરે ઈ.સ. ૫૮
¶ જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.
- ગલાતીઓને પત્ર ૬:૧૨આશરે ઈ.સ. ૫૮
જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે.
- ગલાતીઓને પત્ર ૬:૧૩આશરે ઈ.સ. ૫૮
કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.
- ગલાતીઓને પત્ર ૬:૧૪આશરે ઈ.સ. ૫૮
¶ પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું.
- ગલાતીઓને પત્ર ૬:૧૫આશરે ઈ.સ. ૫૮
કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
- ગલાતીઓને પત્ર ૬:૧૬આશરે ઈ.સ. ૫૮
જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
- ગલાતીઓને પત્ર ૬:૧૭આશરે ઈ.સ. ૫૮
¶ હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.