circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- ગલાતીઓને પત્ર ૪:૨૫આશરે ઈ.સ. ૫૮
હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં સંતાનો સાથે દાસત્વમાં છે.
- ગલાતીઓને પત્ર ૪:૨૬આશરે ઈ.સ. ૫૮
¶ પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે;
- ગલાતીઓને પત્ર ૪:૨૭આશરે ઈ.સ. ૫૮
કેમ કે લખેલું છે કે, ‘હે નિ:સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’”
- ગલાતીઓને પત્ર ૪:૨૮આશરે ઈ.સ. ૫૮
¶ હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં સંતાનો છીએ.
- ગલાતીઓને પત્ર ૪:૨૯આશરે ઈ.સ. ૫૮
પણ તે સમયે જેમ દેહથી જન્મેલાંએ આત્માથી જન્મેલાંને સતાવ્યો; તેવું અત્યારે પણ ચાલે છે.
- ગલાતીઓને પત્ર ૪:૩૦આશરે ઈ.સ. ૫૮
¶ પણ શાસ્ત્રવચન શું કહે છે? ‘દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહિ.’”
- ગલાતીઓને પત્ર ૪:૩૧આશરે ઈ.સ. ૫૮
તેથી, ભાઈઓ, આપણે દાસીનાં સંતાનો નથી, પણ પત્નીનાં છીએ.
- ગલાતીઓને પત્ર ૫:૧આશરે ઈ.સ. ૫૮
¶ આપણે બંધનમાં ન રહીએ માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે; તેથી સ્થિર રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
- ગલાતીઓને પત્ર ૫:૨આશરે ઈ.સ. ૫૮
¶ જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.
- ગલાતીઓને પત્ર ૫:૩આશરે ઈ.સ. ૫૮
¶ દરેક સુન્નત કરાવનારને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને જવાબદાર છે.
- ગલાતીઓને પત્ર ૫:૪આશરે ઈ.સ. ૫૮
તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી દૂર થયા છો.
- ગલાતીઓને પત્ર ૫:૫આશરે ઈ.સ. ૫૮
¶ કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.
- ગલાતીઓને પત્ર ૫:૬આશરે ઈ.સ. ૫૮
કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે.
- ગલાતીઓને પત્ર ૫:૭આશરે ઈ.સ. ૫૮
તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા?
- ગલાતીઓને પત્ર ૫:૮આશરે ઈ.સ. ૫૮
આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.
- ગલાતીઓને પત્ર ૫:૯આશરે ઈ.સ. ૫૮
¶ એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે.
- ગલાતીઓને પત્ર ૫:૧૦આશરે ઈ.સ. ૫૮
તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.
- ગલાતીઓને પત્ર ૫:૧૧આશરે ઈ.સ. ૫૮
¶ ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી.
- ગલાતીઓને પત્ર ૫:૧૨આશરે ઈ.સ. ૫૮
જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
- ગલાતીઓને પત્ર ૫:૧૩આશરે ઈ.સ. ૫૮
¶ કેમ કે, ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા; માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
- ગલાતીઓને પત્ર ૫:૧૪આશરે ઈ.સ. ૫૮
કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે, ‘જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.’”
- ગલાતીઓને પત્ર ૫:૧૫આશરે ઈ.સ. ૫૮
પણ જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, કદાચ તમે એકબીજાથી નાશ પામો.
- ગલાતીઓને પત્ર ૫:૧૬આશરે ઈ.સ. ૫૮
¶ પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.
- ગલાતીઓને પત્ર ૫:૧૭આશરે ઈ.સ. ૫૮
કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.
- ગલાતીઓને પત્ર ૫:૧૮આશરે ઈ.સ. ૫૮
પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.