circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 1 થેસ્સલોનિકીઓને ૪:૩આશરે ઈ.સ. ૫૪
¶ કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો;
- 1 થેસ્સલોનિકીઓને ૪:૪આશરે ઈ.સ. ૫૪
તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ,
- 1 થેસ્સલોનિકીઓને ૪:૫આશરે ઈ.સ. ૫૪
પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૬આશરે ઈ.સ. ૫૪
તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૭આશરે ઈ.સ. ૫૪
¶ કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૮આશરે ઈ.સ. ૫૪
એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૯આશરે ઈ.સ. ૫૪
¶ પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૦આશરે ઈ.સ. ૫૪
આખા મકદોનિયાના સઘળા ભાઈઓ પર તમે એ પ્રમાણે પ્રેમ રાખો છો; પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજી પણ વધારે પ્રેમ રાખો;
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૧આશરે ઈ.સ. ૫૪
અને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, લક્ષ્ય રાખો;
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૨આશરે ઈ.સ. ૫૪
જેથી બહારના લોકોની આગળ તમે સારી વર્તણૂક રાખો અને તમને કશાની અગત્ય રહે નહિ.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૩આશરે ઈ.સ. ૫૪
¶ પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૪આશરે ઈ.સ. ૫૪
જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૫આશરે ઈ.સ. ૫૪
કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૬આશરે ઈ.સ. ૫૪
¶ કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૭આશરે ઈ.સ. ૫૪
પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.
- 1 થેસ્સલોનિકીઓને ૪:૧૮આશરે ઈ.સ. ૫૪
તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૧આશરે ઈ.સ. ૫૪
¶ હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૨આશરે ઈ.સ. ૫૪
કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૩આશરે ઈ.સ. ૫૪
કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૪આશરે ઈ.સ. ૫૪
¶ પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૫આશરે ઈ.સ. ૫૪
તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૬આશરે ઈ.સ. ૫૪
એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૭આશરે ઈ.સ. ૫૪
કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૮આશરે ઈ.સ. ૫૪
¶ પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.
- 1 થેસ્સલોનિકીઓને ૫:૯આશરે ઈ.સ. ૫૪
કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે;