circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માથ્થી ૨૨:૨૩આશરે ઈ.સ. ૩૩
¶ તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું,
- માથ્થી ૨૨:૨૪આશરે ઈ.સ. ૩૩
“ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’”
- માથ્થી ૨૨:૨૫આશરે ઈ.સ. ૩૩
¶ તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો.
- માથ્થી ૨૨:૨૬આશરે ઈ.સ. ૩૩
તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા.
- માથ્થી ૨૨:૨૭આશરે ઈ.સ. ૩૩
સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.
- માથ્થી ૨૨:૨૮આશરે ઈ.સ. ૩૩
એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”
- માથ્થી ૨૨:૨૯આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.
- માથ્થી ૨૨:૩૦આશરે ઈ.સ. ૩૩
કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.
- માથ્થી ૨૨:૩૧આશરે ઈ.સ. ૩૩
¶ પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું?
- માથ્થી ૨૨:૩૨આશરે ઈ.સ. ૩૩
‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.”
- માથ્થી ૨૨:૩૩આશરે ઈ.સ. ૩૩
લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.
- માથ્થી ૨૨:૩૪આશરે ઈ.સ. ૩૩
¶ જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા.
- માથ્થી ૨૨:૩૫આશરે ઈ.સ. ૩૩
તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે,
- માથ્થી ૨૨:૩૬આશરે ઈ.સ. ૩૩
“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”
- માથ્થી ૨૨:૩૭આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’
- માથ્થી ૨૨:૩૮આશરે ઈ.સ. ૩૩
પહેલી અને મોટી આજ્ઞા તે છે.
- માથ્થી ૨૨:૩૯આશરે ઈ.સ. ૩૩
¶ બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’
- માથ્થી ૨૨:૪૦આશરે ઈ.સ. ૩૩
આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”
- માથ્થી ૨૨:૪૧આશરે ઈ.સ. ૩૩
¶ હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે,
- માથ્થી ૨૨:૪૨આશરે ઈ.સ. ૩૩
“ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’”
- માથ્થી ૨૨:૪૩આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’
- માથ્થી ૨૨:૪૪આશરે ઈ.સ. ૩૩
જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’”
- માથ્થી ૨૨:૪૫આશરે ઈ.સ. ૩૩
¶ હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?”
- માથ્થી ૨૨:૪૬આશરે ઈ.સ. ૩૩
એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.
- માથ્થી ૨૩:૧આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,