circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 2 થેસ્સલોનિકીઓને ૩:૩આશરે ઈ.સ. ૫૪
પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૪આશરે ઈ.સ. ૫૪
¶ તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૫આશરે ઈ.સ. ૫૪
પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વરના પ્રેમ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૬આશરે ઈ.સ. ૫૪
¶ હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૭આશરે ઈ.સ. ૫૪
કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૮આશરે ઈ.સ. ૫૪
કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું;
- 2 થેસ્સલોનિકીઓને ૩:૯આશરે ઈ.સ. ૫૪
અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૦આશરે ઈ.સ. ૫૪
¶ જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૧આશરે ઈ.સ. ૫૪
કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૨આશરે ઈ.સ. ૫૪
હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૩આશરે ઈ.સ. ૫૪
¶ પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૪આશરે ઈ.સ. ૫૪
જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૫આશરે ઈ.સ. ૫૪
તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૬આશરે ઈ.સ. ૫૪
¶ હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૭આશરે ઈ.સ. ૫૪
હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.
- 2 થેસ્સલોનિકીઓને ૩:૧૮આશરે ઈ.સ. ૫૪
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.
- 1 તિમોથીને ૧:૧આશરે ઈ.સ. ૬૫
¶ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞાથી થયેલ ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ.
- 1 તિમોથીને ૧:૨આશરે ઈ.સ. ૬૫
ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
- 1 તિમોથીને ૧:૩આશરે ઈ.સ. ૬૫
¶ હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે,
- 1 તિમોથીને ૧:૪આશરે ઈ.સ. ૬૫
અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.
- 1 તિમોથીને ૧:૫આશરે ઈ.સ. ૬૫
¶ આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે,
- 1 તિમોથીને ૧:૬આશરે ઈ.સ. ૬૫
જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે.
- 1 તિમોથીને ૧:૭આશરે ઈ.સ. ૬૫
તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.
- 1 તિમોથીને ૧:૮આશરે ઈ.સ. ૬૫
પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
- 1 તિમોથીને ૧:૯આશરે ઈ.સ. ૬૫
¶ આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ,