મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૧૧:૬આશરે ઈ.પૂ. ૫૯૪

    તમે આ નગરમાં મારી નંખાયેલા લોકોની સંખ્યા વધારી છે, તેની શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે.

  2. હઝકિયેલ ૧૧:૭આશરે ઈ.પૂ. ૫૯૪

    તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મારી નંખાયેલા લોકોને યરુશાલેમની મધ્યે નાખ્યા છે, તેઓ માંસ છે, આ નગર કઢાઈ છે. પણ તમને આ નગરમાંથી બહાર લાવવામાં આવશે.

  3. હઝકિયેલ ૧૧:૮આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તમે તલવારથી ભય રાખતા હતા, તેથી પ્રભુ યહોવાહ કહે છે, હું તમારા ઉપર તલવાર લાવીશ”

  4. હઝકિયેલ ૧૧:૯આશરે ઈ.પૂ. ૫૯૪

    “હું તમને નગરમાંથી બહાર કાઢી લાવીને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, કેમ કે હું તમારી વિરુદ્ધ ન્યાય લાવીશ.

  5. હઝકિયેલ ૧૧:૧૦આશરે ઈ.પૂ. ૫૯૪

    તમે તલવારથી પડશો. ઇઝરાયલની સરહદથી તમારો ન્યાય કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!

  6. હઝકિયેલ ૧૧:૧૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ આ નગર તમારી કઢાઈરૂપ થશે નહિ અને તમે તેની અંદર માંસરૂપ થશો નહિ. ઇઝરાયલની સરહદમાં હું તમારો ન્યાય કરીશ.

  7. હઝકિયેલ ૧૧:૧૨આશરે ઈ.પૂ. ૫૯૪

    ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું, જેના વિધિઓ પ્રમાણે તમે ચાલ્યા નથી અને જેના હુકમોનું તમે પાલન કર્યું નથી. પણ તેને બદલે તમે તમારી આસપાસ રહેતી પ્રજાઓના હુકમોનુ પાલન કર્યું છે.

  8. હઝકિયેલ ૧૧:૧૩આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એવું બન્યું કે બનાયાનો દીકરો પલાટયા મરી ગયો. હું ઊંધો પડ્યો અને મેં મોટે અવાજે પોકારીને કહ્યું કે, “અરેરે, પ્રભુ યહોવાહ, શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”

  9. હઝકિયેલ ૧૧:૧૪આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  10. હઝકિયેલ ૧૧:૧૫આશરે ઈ.પૂ. ૫૯૪

    “હે મનુષ્યપુત્ર, તારા ભાઈઓને એટલે તારા ભાઈઓને, તારા કુળના માણસોને તથા સર્વ ઇઝરાયલી લોકોને યરુશાલેમના રહેવાસીઓએ કહ્યું છે કે, તેઓને યહોવાહથી દૂર કાઢવામાં આવ્યા છે; આ દેશ તો અમને અમારી મિલકત તરીકે સોંપવામાં આવ્યો છે.’”

  11. હઝકિયેલ ૧૧:૧૬આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તેથી કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘જો કે મેં તેઓને દૂરની પ્રજાઓમાં કાઢી મૂક્યા છે, જો કે મેં તેઓને દેશો મધ્યે વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડા સમય સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.

  12. હઝકિયેલ ૧૧:૧૭આશરે ઈ.પૂ. ૫૯૪

    તે માટે, પ્રભુ યહોવાહ કહે છે કે, ‘હું લોકોમાંથી તમને ભેગા કરીશ, જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમને એકત્ર કરીશ, હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.’

  13. હઝકિયેલ ૧૧:૧૮આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓ ત્યાં આવીને સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે.

  14. હઝકિયેલ ૧૧:૧૯આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ હું તેઓને એક હૃદય આપીશ, જયારે તેઓ મારી પાસે આવશે ત્યારે હું તેઓમાં નવો આત્મા મૂકીશ, હું તેઓના દેહમાંથી પથ્થરનું હૃદય લઈને, તેઓને માંસનું હૃદય આપીશ,

  15. હઝકિયેલ ૧૧:૨૦આશરે ઈ.પૂ. ૫૯૪

    જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલે, તેઓ મારા નિયમોનું પાલન કરે અને તેનો અમલ કરે. ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.

  16. હઝકિયેલ ૧૧:૨૧આશરે ઈ.પૂ. ૫૯૪

    પણ જેઓ પોતાની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ ચાલે છે, તેઓની કરણીઓનો બદલો હું તેઓને માથે લાવીશ. આ પ્રભુ યહોવાહનું વચન છે.”

  17. હઝકિયેલ ૧૧:૨૨આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી અને પૈડાં પણ તેઓની સાથે હતાં. ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેઓના પર હતું.

  18. હઝકિયેલ ૧૧:૨૩આશરે ઈ.પૂ. ૫૯૪

    યહોવાહનું ગૌરવ નગરમાંથી ઉપડીને પૂર્વ બાજુએ આવેલા પર્વત પર ઊભું રહ્યું.

  19. હઝકિયેલ ૧૧:૨૪આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ અને ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદીઓના દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. અને જે સંદર્શન મેં જોયું હતું તે મારી પાસેથી જતું રહ્યું.

  20. હઝકિયેલ ૧૧:૨૫આશરે ઈ.પૂ. ૫૯૪

    પછી જે બાબતો યહોવાહે મને બતાવી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.

  21. હઝકિયેલ ૧૨:૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  22. હઝકિયેલ ૧૨:૨આશરે ઈ.પૂ. ૫૯૪

    “હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે.

  23. હઝકિયેલ ૧૨:૩આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ.

  24. હઝકિયેલ ૧૨:૪આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તું દિવસે તેઓના દેખતાં તારી મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ. લોકો બંદીવાનની જેમ બહાર આવે તેમ સાંજે તેઓના દેખતાં ચાલી નીકળ.

  25. હઝકિયેલ ૧૨:૫આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ.