મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૧૨:૬આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.

  2. હઝકિયેલ ૧૨:૭આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.

  3. હઝકિયેલ ૧૨:૮આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  4. હઝકિયેલ ૧૨:૯આશરે ઈ.પૂ. ૫૯૪

    “હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, ‘તું શું કરે છે?’

  5. હઝકિયેલ ૧૨:૧૦આશરે ઈ.પૂ. ૫૯૪

    તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’”

  6. હઝકિયેલ ૧૨:૧૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તું તેઓને કહે કે, ‘હું તમારે માટે ચિહ્નરૂપ છું. મેં જે કર્યું છે, તેમ જ કરવામાં આવશે, તેઓ પરદેશમાં તથા બંદીવાસમાં જશે.

  7. હઝકિયેલ ૧૨:૧૨આશરે ઈ.પૂ. ૫૯૪

    તમારી મધ્યે જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર પોતાનો સામાન ઊંચકીને દીવાલમાંથી બહાર જશે. તેઓ દીવાલમાં કાણું પાડશે અને પોતાનો સામાન બહાર લાવશે. તે પોતાનું મુખ ઢાંકી દેશે જેથી તે પોતાની આંખોથી દેશ જોઈ શકે નહિ.

  8. હઝકિયેલ ૧૨:૧૩આશરે ઈ.પૂ. ૫૯૪

    હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તે મારી જાળમાં પકડાઈ જશે; ત્યારે હું તેને ખાલદીઓના દેશમાં બાબિલમાં લાવીશ, પણ તે તે જોશે નહિ. તે ત્યાં મૃત્યુ પામશે.

  9. હઝકિયેલ ૧૨:૧૪આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તેની આસપાસના સર્વ મદદગારોને અને તેના આખા સૈન્યને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, હું તેમની પાછળ તલવાર મોકલીશ.

  10. હઝકિયેલ ૧૨:૧૫આશરે ઈ.પૂ. ૫૯૪

    હું તેઓને જ્યારે પ્રજાઓમાં તથા દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.

  11. હઝકિયેલ ૧૨:૧૬આશરે ઈ.પૂ. ૫૯૪

    પણ હું તેઓમાંના કેટલાક માણસને તલવાર, દુકાળ તથા મરકીના ઉપદ્રવથી જીવતા રહેવા દઈશ, જેથી તેઓ જે પ્રજાઓમાં હું તેઓને લઈ જઈશ ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”

  12. હઝકિયેલ ૧૨:૧૭આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  13. હઝકિયેલ ૧૨:૧૮આશરે ઈ.પૂ. ૫૯૪

    “હે મનુષ્યપુત્ર, ધ્રુજારીસહિત તારી રોટલી ખા. અને કંપારી તથા ચિંતાસહિત તારું પાણી પી.

  14. હઝકિયેલ ૧૨:૧૯આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ દેશના લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમના રહેવાસીઓ તથા ઇઝરાયલના દેશ વિષે આમ કહે છે: તેઓ ધ્રુજારીસહિત પોતાની રોટલી ખાશે અને ચિંતાતુર થઈને પાણી પીશે, તેના દેશના સર્વ રહેવાસીઓની હિંસાને કારણે તેના દેશમાં જે બધું હશે તેનો નાશ થશે.

  15. હઝકિયેલ ૧૨:૨૦આશરે ઈ.પૂ. ૫૯૪

    વસતિવાળાં નગરો વેરાન કરવામાં આવશે, દેશ ઉજ્જડ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’”

  16. હઝકિયેલ ૧૨:૨૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  17. હઝકિયેલ ૧૨:૨૨આશરે ઈ.પૂ. ૫૯૪

    “હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે અને દરેક સંદર્શન નિષ્ફળ થાય છે’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં વધારે ચાલે છે તે શું છે?

  18. હઝકિયેલ ૧૨:૨૩આશરે ઈ.પૂ. ૫૯૪

    માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”

  19. હઝકિયેલ ૧૨:૨૪આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ કેમ કે હવે પછી ઇઝરાયલ લોકોમાં જૂઠાં સંદર્શન તથા ખુશકારક શકુન જોવામાં આવશે નહિ.

  20. હઝકિયેલ ૧૨:૨૫આશરે ઈ.પૂ. ૫૯૪

    કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે.

  21. હઝકિયેલ ૧૨:૨૬આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું:

  22. હઝકિયેલ ૧૨:૨૭આશરે ઈ.પૂ. ૫૯૪

    “હે મનુષ્યપુત્ર, જો! ઇઝરાયલી લોકો કહે છે કે, તને જે સંદર્શન થયું છે તે તો હમણાંથી ઘણા દિવસો પછીના વખતનું છે, તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.

  23. હઝકિયેલ ૧૨:૨૮આશરે ઈ.પૂ. ૫૯૪

    તેથી તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: મારાં વચનો પૂરાં કરવામાં વિલંબ થશે નહિ, પણ દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.’ આ પ્રભુ યહોવાહનું વચન છે.

  24. હઝકિયેલ ૧૩:૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  25. હઝકિયેલ ૧૩:૨આશરે ઈ.પૂ. ૫૯૪

    “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલમાં ભવિષ્યવાણી કરનાર પ્રબોધકો વિરુદ્ધ પ્રબોધ કરીને કહે, જેઓ પોતાના મનમાં કલ્પીને પ્રબોધ કરે છે તેઓને કહે, યહોવાહનું વચન સાંભળો.