Skip to content

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૨૬:૧આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.

  2. ઊત્પત્તિ ૨૬:૨આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “તું મિસરમાં ન જતો; જે દેશ વિશે હું તને કહીશ ત્યાં રહે.

  3. ઊત્પત્તિ ૨૬:૩આશરે ઈ.પૂ. ૧૮૦૪

    આ દેશમાં તું પ્રવાસી થઈને રહે, હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારા વંશજોને હું આ આખો દેશ આપીશ અને તારા પિતા ઇબ્રાહિમની આગળ મેં જે સોગન લીધા છે તે હું પૂરા કરીશ.

  4. ઊત્પત્તિ ૨૬:૪આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ હું તારા વંશજોને વધારીને આકાશના તારાઓ જેટલા કરીશ અને આ સર્વ પ્રદેશો હું તારા વંશજોને આપીશ. પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે.

  5. ઊત્પત્તિ ૨૬:૫આશરે ઈ.પૂ. ૧૮૦૪

    હું એમ કરીશ કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માનીને મારું ફરમાન, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા છે.”

  6. ઊત્પત્તિ ૨૬:૬આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ તેથી ઇસહાક ગેરારમાં રહ્યો.

  7. ઊત્પત્તિ ૨૬:૭આશરે ઈ.પૂ. ૧૮૦૪

    જયારે ત્યાંના માણસોએ તેની પત્ની વિષે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, “તે મારી બહેન છે.” કેમ કે તે મારી પત્ની છે, એવું કહેતાં તે ગભરાતો હતો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી.”

  8. ઊત્પત્તિ ૨૬:૮આશરે ઈ.પૂ. ૧૮૦૪

    પછી ઇસહાક ત્યાં ઘણો સમય રહ્યો અને પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું તો જુઓ, ઇસહાક અને તેની પત્ની રિબકાને લાડ કરતો હતા.

  9. ઊત્પત્તિ ૨૬:૯આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, “જો, તે નિશ્ચે તારી પત્ની છે. તો પછી તું એમ કેમ બોલ્યો કે, ‘તે મારી બહેન છે?’ ઇસહાકે તેને કહ્યું, “મેં એવું વિચારેલું કે તેને પડાવી લેવા માટે કદાચ મને કોઈ મારી નાખે.”

  10. ઊત્પત્તિ ૨૬:૧૦આશરે ઈ.પૂ. ૧૮૦૪

    અબીમેલેખે કહ્યું, “તેં આ અમને શું કર્યું છે? લોકોમાંથી કોઈપણ એક જણે તારી પત્ની સાથે સંબંધ બાંધ્યો હોત અને એવું કર્યાને લીધે તેં અમારી પાસે અપરાધ કરાવ્યો હોત.”

  11. ઊત્પત્તિ ૨૬:૧૧આશરે ઈ.પૂ. ૧૮૦૪

    તેથી અબીમેલેખે સર્વ લોકોને ચેતવીને કહ્યું, “આ માણસને અથવા તેની પત્નીને નુકશાન કરનાર તે નિશ્ચે માર્યો જશે.”

  12. ઊત્પત્તિ ૨૬:૧૨આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ ઇસહાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે સો ગણી કાપણી કરી, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો.

  13. ઊત્પત્તિ ૨૬:૧૩આશરે ઈ.પૂ. ૧૮૦૪

    તે ધનવાન થયો અને વૃદ્ધિ પામતાં ઘણો પ્રતિષ્ઠિત થયો.

  14. ઊત્પત્તિ ૨૬:૧૪આશરે ઈ.પૂ. ૧૮૦૪

    તેની પાસે ઘણાં ઘેટાં તથા અન્ય જાનવર થયાં અને તેનું કુટુંબ પણ મોટું થયું. તેથી પલિસ્તીઓને તેના પ્રત્યે અદેખાઈ થઈ.

  15. ઊત્પત્તિ ૨૬:૧૫આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ તેથી તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં જે સર્વ કૂવા તેના પિતાના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા.

  16. ઊત્પત્તિ ૨૬:૧૬આશરે ઈ.પૂ. ૧૮૦૪

    અબીમેલેખે ઇસહાકને કહ્યું, “તું અમારી પાસેથી દૂર જા, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે.”

  17. ઊત્પત્તિ ૨૬:૧૭આશરે ઈ.પૂ. ૧૮૦૪

    તેથી ઇસહાક ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં જઈને વસ્યો.

  18. ઊત્પત્તિ ૨૬:૧૮આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં પાણીના જે કૂવા હતા જે તેના મરણ પછી પલિસ્તીઓએ પૂરી દીધા હતા, તે કૂવાઓ ઇસહાકે ફરીથી ખોદાવ્યા. તે કૂવાઓનાં જે નામ તેના પિતાએ રાખ્યા હતાં, તે જ નામ ઇસહાકે રાખ્યાં.

  19. ઊત્પત્તિ ૨૬:૧૯આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ જયારે ઇસહાકના દાસોએ ખીણમાં ખોદ્યું ત્યારે તેઓને ત્યાં વહેતા પાણીનો એક કૂવો મળ્યો.

  20. ઊત્પત્તિ ૨૬:૨૦આશરે ઈ.પૂ. ૧૮૦૪

    “એ પાણી અમારું છે” એમ કહેતાં ગેરારના ઘેટાંપાળકો ઇસહાકના ઘેટાંપાળકો સાથે ઝઘડયા અને તેથી તે કૂવાનું નામ ઇસહાકે “એસેક” રાખ્યું, કેમ કે તેઓ તેની સાથે ઝઘડ્યા હતા.

  21. ઊત્પત્તિ ૨૬:૨૧આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઝઘડ્યા, તેથી તેણે તેનું નામ “સિટના” એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું.

  22. ઊત્પત્તિ ૨૬:૨૨આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ત્યાંથી નીકળી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો પણ તેને સારુ તેઓ ઝઘડયા નહિ. તેથી તેણે તેનું નામ રહોબોથ રાખ્યું જેનો અર્થ એ છે કે, ‘હવે ઈશ્વરે અમારા માટે જગ્યા કરી છે તેથી આ દેશમાં અમે સમૃદ્ધ થઈશું.”

  23. ઊત્પત્તિ ૨૬:૨૩આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ¶ પછી ઇસહાક ત્યાંથી બેરશેબા ગયો.

  24. ઊત્પત્તિ ૨૬:૨૪આશરે ઈ.પૂ. ૧૮૦૪

    તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ.”

  25. ઊત્પત્તિ ૨૬:૨૫આશરે ઈ.પૂ. ૧૮૦૪

    ઇસહાકે ત્યાં વેદી બાંધી અને ઈશ્વર સાથે વાત કરી. ત્યાં તેણે તેનો તંબુ બાંધ્યો અને તેના દાસોએ એક કૂવો ખોદ્યો.