Skip to content

Creation Era

The Great Flood

Humanity's wickedness fills the earth; God preserves Noah and his family through a catastrophic flood.

97 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૬:૧આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ¶ પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે,

  2. ઊત્પત્તિ ૬:૨આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી.

  3. ઊત્પત્તિ ૬:૩આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ઈશ્વરે કહ્યું કે, “મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે.”

  4. ઊત્પત્તિ ૬:૪આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ¶ ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.

  5. ઊત્પત્તિ ૬:૫આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ¶ ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.

  6. ઊત્પત્તિ ૬:૬આશરે ઈ.પૂ. ૨૪૪૮

    તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.

  7. ઊત્પત્તિ ૬:૭આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ¶ ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”

  8. ઊત્પત્તિ ૬:૮આશરે ઈ.પૂ. ૨૪૪૮

    પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.

  9. ઊત્પત્તિ ૬:૯આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ¶ નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.

  10. ઊત્પત્તિ ૬:૧૦આશરે ઈ.પૂ. ૨૪૪૮

    નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.

  11. ઊત્પત્તિ ૬:૧૧આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ¶ ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.

  12. ઊત્પત્તિ ૬:૧૨આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.

  13. ઊત્પત્તિ ૬:૧૩આશરે ઈ.પૂ. ૨૪૪૮

    ¶ ઈશ્વરે નૂહને કહ્યું કે, “હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.”

  14. ઊત્પત્તિ ૬:૧૪આશરે ઈ.પૂ. ૨૪૬૮

    તું પોતાને સારુ એરેજનાં લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર.

  15. ઊત્પત્તિ ૬:૧૫આશરે ઈ.પૂ. ૨૪૬૮

    તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય.

  16. ઊત્પત્તિ ૬:૧૬આશરે ઈ.પૂ. ૨૪૬૮

    વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ.

  17. ઊત્પત્તિ ૬:૧૭આશરે ઈ.પૂ. ૨૪૬૮

    સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.

  18. ઊત્પત્તિ ૬:૧૮આશરે ઈ.પૂ. ૨૪૬૮

    ¶ પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાખીશ.

  19. ઊત્પત્તિ ૬:૧૯આશરે ઈ.પૂ. ૨૪૬૮

    સર્વ પ્રકારના જાનવરોમાંથી બબ્બે સજીવો, એટલે એક નર તથા એક નારી બચાવવા માટે તારી સાથે તું વહાણમાં લાવ.

  20. ઊત્પત્તિ ૬:૨૦આશરે ઈ.પૂ. ૨૪૬૮

    ¶ દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ.

  21. ઊત્પત્તિ ૬:૨૧આશરે ઈ.પૂ. ૨૪૬૮

    સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે.

  22. ઊત્પત્તિ ૬:૨૨આશરે ઈ.પૂ. ૨૪૬૮

    ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.

  23. ઊત્પત્તિ ૭:૧આશરે ઈ.પૂ. ૨૩૪૮

    ¶ ઈશ્વરે નૂહને કહ્યું, “તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.

  24. ઊત્પત્તિ ૭:૨આશરે ઈ.પૂ. ૨૩૪૮

    દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે.

  25. ઊત્પત્તિ ૭:૩આશરે ઈ.પૂ. ૨૩૪૮

    તેની સાથે આકાશના પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.