circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માથ્થી ૧૪:૨૩આશરે ઈ.સ. ૩૨
લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.
- માથ્થી ૧૪:૨૪આશરે ઈ.સ. ૩૨
પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.
- માથ્થી ૧૪:૨૫આશરે ઈ.સ. ૩૨
¶ રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.
- માથ્થી ૧૪:૨૬આશરે ઈ.સ. ૩૨
શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી.
- માથ્થી ૧૪:૨૭આશરે ઈ.સ. ૩૨
પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”
- માથ્થી ૧૪:૨૮આશરે ઈ.સ. ૩૨
¶ ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”
- માથ્થી ૧૪:૨૯આશરે ઈ.સ. ૩૨
ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.
- માથ્થી ૧૪:૩૦આશરે ઈ.સ. ૩૨
પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”
- માથ્થી ૧૪:૩૧આશરે ઈ.સ. ૩૨
¶ ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”
- માથ્થી ૧૪:૩૨આશરે ઈ.સ. ૩૨
પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.
- માથ્થી ૧૪:૩૩આશરે ઈ.સ. ૩૨
હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
- માથ્થી ૧૪:૩૪આશરે ઈ.સ. ૩૨
¶ તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
- માથ્થી ૧૪:૩૫આશરે ઈ.સ. ૩૨
જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
- માથ્થી ૧૪:૩૬આશરે ઈ.સ. ૩૨
તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.
- માથ્થી ૧૫:૧આશરે ઈ.સ. ૩૨
¶ તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,
- માથ્થી ૧૫:૨આશરે ઈ.સ. ૩૨
“તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.”
- માથ્થી ૧૫:૩આશરે ઈ.સ. ૩૨
પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”
- માથ્થી ૧૫:૪આશરે ઈ.સ. ૩૨
¶ કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’
- માથ્થી ૧૫:૫આશરે ઈ.સ. ૩૨
પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’”
- માથ્થી ૧૫:૬આશરે ઈ.સ. ૩૨
તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.
- માથ્થી ૧૫:૭આશરે ઈ.સ. ૩૨
¶ ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે,
- માથ્થી ૧૫:૮આશરે ઈ.સ. ૩૨
‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે.
- માથ્થી ૧૫:૯આશરે ઈ.સ. ૩૨
તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
- માથ્થી ૧૫:૧૦આશરે ઈ.સ. ૩૨
¶ પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો.
- માથ્થી ૧૫:૧૧આશરે ઈ.સ. ૩૨
મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”