મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૧૦:૧૪આશરે ઈ.સ. ૩૩

    ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.

  2. યોહાન ૧૦:૧૫આશરે ઈ.સ. ૩૩

    જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.

  3. યોહાન ૧૦:૧૬આશરે ઈ.સ. ૩૩

    મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.

  4. યોહાન ૧૦:૧૭આશરે ઈ.સ. ૩૩

    પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.

  5. યોહાન ૧૦:૧૮આશરે ઈ.સ. ૩૩

    કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”

  6. યોહાન ૧૦:૧૯આશરે ઈ.સ. ૩૩

    ¶ આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.

  7. યોહાન ૧૦:૨૦આશરે ઈ.સ. ૩૩

    તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’”

  8. યોહાન ૧૦:૨૧આશરે ઈ.સ. ૩૩

    બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”

  9. યોહાન ૧૦:૨૨આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો.

  10. યોહાન ૧૦:૨૩આશરે ઈ.સ. ૩૩

    ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.

  11. યોહાન ૧૦:૨૪આશરે ઈ.સ. ૩૩

    ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”

  12. યોહાન ૧૦:૨૫આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.

  13. યોહાન ૧૦:૨૬આશરે ઈ.સ. ૩૩

    તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.

  14. યોહાન ૧૦:૨૭આશરે ઈ.સ. ૩૩

    મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.

  15. યોહાન ૧૦:૨૮આશરે ઈ.સ. ૩૩

    હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.

  16. યોહાન ૧૦:૨૯આશરે ઈ.સ. ૩૩

    મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી.

  17. યોહાન ૧૦:૩૦આશરે ઈ.સ. ૩૩

    હું તથા પિતા એક છીએ.’”

  18. યોહાન ૧૦:૩૧આશરે ઈ.સ. ૩૩

    ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.

  19. યોહાન ૧૦:૩૨આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’”

  20. યોહાન ૧૦:૩૩આશરે ઈ.સ. ૩૩

    યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”

  21. યોહાન ૧૦:૩૪આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી?

  22. યોહાન ૧૦:૩૫આશરે ઈ.સ. ૩૩

    જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી,

  23. યોહાન ૧૦:૩૬આશરે ઈ.સ. ૩૩

    તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?

  24. યોહાન ૧૦:૩૭આશરે ઈ.સ. ૩૩

    જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો.

  25. યોહાન ૧૦:૩૮આશરે ઈ.સ. ૩૩

    પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’”