મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૨૯:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    સાત દિવસ સુધી વેદીને શુદ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે. પછી જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે.

  2. નિર્ગમન ૨૯:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તારે વેદી પર આટલા બલિ ચઢાવવા, કાયમને માટે પ્રતિદિન એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવા.

  3. નિર્ગમન ૨૯:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એક હલવાન તારે સવારમાં અને બીજું હલવાન તારે સાંજે ચઢાવવું.

  4. નિર્ગમન ૨૯:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પ્રથમ ઘેટાં સાથે તમારે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો મેંદાનો ઝીણો લોટ તેમ જ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવો.

  5. નિર્ગમન ૨૯:૪૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ સાંજે અર્પણ થતાં હલવાનની સાથે સવારની જેમ મેંદાના ઝીણા લોટનું અને દ્રાક્ષારસનું પેયાર્પણ કરજે. ઈશ્વરની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ ધ્યાનમાં લેવાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું.

  6. નિર્ગમન ૨૯:૪૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આ દહનીયાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારી નજર સમક્ષ નિયમિત પેઢી દર પેઢી કરવાના છે.

  7. નિર્ગમન ૨૯:૪૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ હું ત્યાં જ તમને મળીશ અને ઇઝરાયલીઓને પણ મળીશ. મારા મહિમાથી એ સ્થાન પવિત્ર થઈ જશે.

  8. નિર્ગમન ૨૯:૪૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    હા, હું મુલાકાતમંડપને, વેદીને અને યાજકો તરીકે મારા સેવકો હારુન તથા તેના પુત્રોને પવિત્ર કરીશ.

  9. નિર્ગમન ૨૯:૪૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અને હું ઇઝરાયલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેઓનો ઈશ્વર થઈશ.

  10. નિર્ગમન ૨૯:૪૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેઓને ખાતરી થશે કે તેઓની વચ્ચે રહેવા માટે તેઓને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.

  11. નિર્ગમન ૩૦:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.

  12. નિર્ગમન ૩૦:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.

  13. નિર્ગમન ૩૦:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.

  14. નિર્ગમન ૩૦:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.

  15. નિર્ગમન ૩૦:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.

  16. નિર્ગમન ૩૦:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે કરારકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.

  17. નિર્ગમન ૩૦:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો.

  18. નિર્ગમન ૩૦:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવાહ સમક્ષ ધૂપ બાળવો.

  19. નિર્ગમન ૩૦:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તારે એ વેદી પર અન્ય ધૂપ બાળવો નહિ કે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે પેયાર્પણ ચઢાવવાં નહિ.

  20. નિર્ગમન ૩૦:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે.

  21. નિર્ગમન ૩૦:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  22. નિર્ગમન ૩૦:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.

  23. નિર્ગમન ૩૦:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.

  24. નિર્ગમન ૩૦:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.

  25. નિર્ગમન ૩૦:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.