મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૨૩:૯

વિવિધ શ્રોતાઓ માટેનું જ્ઞાન

નીતિવચનો ૨૩:૯
આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.
જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
૧૦
પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
૧૧
કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
૧૨
શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options