મુખ્ય સામગ્રી પર જાઓ
2 કરિંથીઓને ૩:૬

નવા કરારની સેવાની પર્યાપ્તતા

2 કરિંથીઓને ૩:૬
આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.
એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.
અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;
તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.
અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.
તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?
કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options