Skip to content
નીતિવચનો ૨૩:૧૨-૧૬

નીતિવચનો ૨૩:૧૨-૧૬

૧૨
શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
૧૩
બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
૧૪
જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.
૧૫
મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
૧૬
જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options