મુખ્ય સામગ્રી પર જાઓ
ઊત્પત્તિ ૫:૧-૫

આદમના વંશાવળીનું પુસ્તક

ઊત્પત્તિ ૫:૧-૫
આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options