ઊત્પત્તિ ૫:૬-૨૦
૬
¶ જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
૭
અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૮
શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૯
¶ જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
૧૦
કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૧
અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૨
¶ જયારે તેના પુત્ર માહલાલેલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
૧૩
માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૪
કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૫
¶ જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો.
૧૬
યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૭
માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૮
¶ જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
૧૯
હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૨૦
યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Settings