મુખ્ય સામગ્રી પર જાઓ
ગલાતીઓને પત્ર ૫:૭-૧૨

જૂઠા પ્રભાવ સામે ચેતવણી

ગલાતીઓને પત્ર ૫:૭-૧૨
તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા?
આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.
એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે.
૧૦
તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.
૧૧
ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી.
૧૨
જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options