Skip to content
લૂક ૯:૫૧-૫૬

ઈસુ યરુશાલેમ તરફ જવાનો નિશ્ચય કરે છે

લૂક ૯:૫૧-૫૬
૫૧
એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.
૫૨
ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.
૫૩
પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.
૫૪
તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’”
૫૫
ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં.
૫૬
અને તેઓ બીજે ગામ ગયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options