Skip to content
લૂક ૧૪:૧-૬

સાબ્બાથે સાજું કરવું

લૂક ૧૪:૧-૬
અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.
એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.
ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?
પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.
ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ?
એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options