મુખ્ય સામગ્રી પર જાઓ
નિર્ગમન ૩૫:૧-૩

સભા અને આજ્ઞાઓનું પુનરાવર્તન

નિર્ગમન ૩૫:૧-૩
મૂસાએ સર્વ ઇઝરાયલીઓની એક સભા ભેગી કરીને તેઓને કહ્યું, “આ બાબતો એ છે કે યહોવાહે તમને પાળવા માટે આજ્ઞા આપી છે.
છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાહને માટે તે વિશ્રામવાર થાય. તે દિવસે જે કોઈ કામ કરે તે મારી નંખાય.
વિશ્રામવારના દિવસે તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં આગ સળગાવવી નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options