મુખ્ય સામગ્રી પર જાઓ
પુનર્નિયમ ૧૪:૩-૨૧

શુદ્ધ અને અશુદ્ધ ખોરાકના નિયમો

પુનર્નિયમ ૧૪:૩-૨૧
તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.
જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો.
પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ.
જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં;
૧૦
પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
૧૧
બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો.
૧૨
પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
૧૩
સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.
૧૪
પ્રત્યેક જાતના કાગડા,
૧૫
શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
૧૬
ચીબરી, ઘુવડ, રાજહંસ,
૧૭
જળકૂકડી, ગીધ, કરઢોક;
૧૮
દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
૧૯
બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય
૨૦
પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.
૨૧
પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options