Skip to content
રોમનોને પત્ર ૩:૯-૨૦

સમગ્ર માનવજાત પાપને આધીન છે

રોમનોને પત્ર ૩:૯-૨૦
તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.
૧૦
જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
૧૧
સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
૧૨
તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
૧૩
તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
૧૪
તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
૧૫
તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
૧૬
તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
૧૭
શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
૧૮
તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
૧૯
હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.
૨૦
કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options