મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૪૭:૧-૬

કરુણાળુ ઈશ્વરની સ્તુતિનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૧૪૭:૧-૬
યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.
યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options