Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૯:૯-૧૬

વચન દ્વારા શુદ્ધતા

ગીતશાસ્ત્ર ૧૧૯:૯-૧૬
જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.
૧૦
મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
૧૧
મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
૧૨
હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.
૧૩
મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.
૧૪
તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.
૧૫
હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.
૧૬
તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options