માથ્થી ૧૦:૯-૧૩
૯
સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો;
૧૦
મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.
૧૧
¶ જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.
૧૨
ઘરમાં જઈને તેઓને સલામ કહો.
૧૩
જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે.
Settings