લૂક ૧૨:૪૨-૪૪
૪૨
પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે?
૪૩
જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે.
૪૪
હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.