Skip to content
એઝરા ૨:૧-૧૩

એઝરા ૨:૧-૧૩

બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
આરાહના વંશજો: સાતસો પંચોતેર.
યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
૧૦
બાનીના વંશજો: છસો બેતાળીસ.
૧૧
બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
૧૨
આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
૧૩
અદોનિકામના વંશજો: છસો છાસઠ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options