1 કરિંથીઓને ૧૪:૨૯-૩૨
૨૯
¶ બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે.
૩૦
પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.
૩૧
¶ તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.
૩૨
પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.