Skip to content
1 કાળવ્રત્તાંત ૨૪:૧-૧૮

1 કાળવ્રત્તાંત ૨૪:૧-૧૮

હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.
સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.
તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.
પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
૧૦
સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
૧૧
નવમી યેશૂઆની, દસમી શખાન્યાની,
૧૨
અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
૧૩
તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
૧૪
પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
૧૫
સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
૧૬
ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની,
૧૭
એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની,
૧૮
ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options