Skip to content
યર્મિયાનો વિલાપ ૩:૨૭-૩૯

દુઃખની શિસ્ત

યર્મિયાનો વિલાપ ૩:૨૭-૩૯
૨૭
જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.
૨૮
યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.
૨૯
તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.
૩૦
જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
૩૧
કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
૩૨
કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
૩૩
કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
૩૪
પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
૩૫
પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
૩૬
કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
૩૭
પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
૩૮
પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
૩૯
જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options