એફેસીઓને પત્ર ૪:૨૦-૨૪
૨૦
¶ પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
૨૧
જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
૨૨
તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
૨૩
¶ અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
૨૪
અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
Settings