ગીતશાસ્ત્ર ૧૪૭:૩-૬
૩
હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
૪
તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
૫
આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.
૬
યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.