Skip to content
પુનર્નિયમ ૨૮:૧૫-૧૯

પુનર્નિયમ ૨૮:૧૫-૧૯

૧૫
યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.
૧૬
તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો.
૧૭
તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.
૧૮
તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.
૧૯
તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options