પુનર્નિયમ ૧૪:૩-૨૦
૩
¶ તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
૪
તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
૫
હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.
૬
¶ જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો.
૭
પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
૮
¶ ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ.
૯
¶ જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં;
૧૦
પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
૧૧
¶ બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો.
૧૨
પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
૧૩
સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.
૧૪
¶ પ્રત્યેક જાતના કાગડા,
૧૫
શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
૧૬
ચીબરી, ઘુવડ, રાજહંસ,
૧૭
જળકૂકડી, ગીધ, કરઢોક;
૧૮
દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
૧૯
બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય
૨૦
પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.
Settings